ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ નવી બનાવેલી ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ સી.આર.પાટીલ બોટાદની મુલાકાતે આવેલ હતા અને તેઓના હસ્તે બોટાદ ખાતે સબ માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવી તેમજ નવી બનાવેલી ઓફિસ તથા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સરકારશ્રીની જે કંઈપણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય તે તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આ માર્કેટિંગ યાર્ડ થતા ખેડૂતોની આવક વધશે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તથા સંસદ સભ્ય ભારતીબેન શિયાળ તથા ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તથા ચંદ્રકાંત સાવલિયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ અમોહ શાહ, બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ખેડૂતો હાજર રહ્યા.
(તસવીર / વિડિયો / અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)