Aapnu Gujarat
Uncategorized

બોટાદ જિલ્લા માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ નવી બનાવેલી ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ સી.આર.પાટીલ બોટાદની મુલાકાતે આવેલ હતા અને તેઓના હસ્તે બોટાદ ખાતે સબ માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવી તેમજ નવી બનાવેલી ઓફિસ તથા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સરકારશ્રીની જે કંઈપણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય તે તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આ માર્કેટિંગ યાર્ડ થતા ખેડૂતોની આવક વધશે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તથા સંસદ સભ્ય ભારતીબેન શિયાળ તથા ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તથા ચંદ્રકાંત સાવલિયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ અમોહ શાહ, બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ખેડૂતો હાજર રહ્યા.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

વેરાવળ સોમનાથમા ગૌ સાયકલ યાત્રાનો ભવ્ય સ્વાગત

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1