ઉપલેટા શહેરના પોરબંદર રોડ પર આવેલ હિંદ વે બ્રિજ પાસે કેનાલ છલકાતા પાણી ખેતરોને બદલે સોસાયટીઓમાં ઘુસી ગયા છે. મોજ ઈરીગેશનના જમણા કાંઠાની બે નંબરની માઇનોર કેનાલમાં કચરો ફસાતા પાણી ઉભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રની ઘોર બેદરકારીને કારણે દર વર્ષ આવો પાણીનો પ્રશ્ન સર્જાય છે. પોરબંદર રોડ પર આવેલી મુરલીધર આહિર સમાજ પાસેની સોસાયટીઓ અને કારખાનાઓમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોને પાણીમાંથી પસાર થવું પડે છે તેમજ કારખાનાઓમાં પાણી ઘુસી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દર વર્ષે સર્જાતા પ્રશ્નને વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)