અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ક્રાફટ તથા બાળ – ગીતની તાલીમ કાર્યક્રમ ૭ જાન્યુઆરીનાં રોજ બાળ કેળવણી મંદિર સંસ્થાના ઉપક્રમે યોજાઈ ગયો. શ્રી મોંઘી બહેન બધેકા બાલમંદિર શિશુવિહાર સંસ્થાના શિક્ષક ચંદ્રિકા દવે, ઉષા રાઠોડ તથા પ્રીતિ ભટ્ટે ઉપસ્થિત રહીને ઉપસ્થિત ૬૦ આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંકલન બાળ કેળવણી મંદિર સંસ્થાના અધ્યક્ષ દેવચંદભાઈ સાવલીયા તથા શિશુવિહાર સંસ્થાના પ્રોગ્રામ કૉ ઑર્ડિનેટર હીના ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)