આજ રોજ અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે ‘‘આઇ’’ ડિવિઝન વિભાગ રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશન, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન અને પોલીસ સમનવય દ્વારા આમ જનતાને કોરોના મહામારીથી બચવા માસ્ક પહેરવું , જરૂરી દૂરી રાખવી , સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેની માહિતી આપી તથા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલાની ઉમદા કામગીરીની માહિતી આપી તથા પ્રજાને એક નવો મેસેજ આપ્યો કે પોલીસ એ પ્રજાના મિત્ર છે જે બીમારીમાંથી બહાર આવ્યા અને પ્રજા માટે તેમનો એક આખો પગાર સમર્પિત કર્યો આવી ઉમદા કામગીરી કરવામાં આીવ છે. આઇ વિભાગના ટ્રાફિક પોલીસ સ્ટેશનના એસીપી આર.આર. સિંઘલ , ડીસીપી તેજસ પટેલ , જેસીપી મયંક ચાવડા, પીઆઈ જે.બી.બુવલ, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા, ટ્રાફિક પોલીસનો પૂરો સ્ટાફ, ચેહર માતાજી ફાઉન્ડેશનની ટીમ અને જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન અને પોલીસ સમનવયના પ્રમુખ પંકજ બી પંચાલ, મિલન વાઘેલા, બિંદુ બેન, વર્ષા ચંદકી, કાજલ તિવારી, પ્રવિણ વેગડા, અવધેશ ભાઈ, નિહારિકા બેન, રશ્મિકા ચાવડા, રશ્મિબા ગોહિલ, ગોવિંદ રામ જયસ્વાલ, કિરણ કંસારા, કેતન કંસારા હાજર રહ્યા હતા અને આયોજન સફળ બનાવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)