અભિનેત્રી કંગના રનૌતે ઉમર ખાલિદના બહાને બોલિવૂડ પર નિશાન સાધ્યું છે. કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વધુ એક ફાંડો ફૂટી ગયો.
જેએનયુના વિદ્યાર્થીઓ તથા શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શનનું સમર્થન કરનાર લોકોએ તોફાનો ભડકાવવામાં મદદ કરી છે. આ કથિત એક્ટર્સ, એક્ટ્રેસિસ આતંકીઓથી ઓછા નથી. ભારત જાગે અને જુએ.કંગનાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું કે, હવે આ વાત સાબિત થઈ ગઈ કે જેએનયુના વિદ્યાર્થીઓએ ખોટી રીતે માહિતી ફેલાવી હતી. તેમણે સ્વીકાર્યું કે તેમણે નફરત, ખોટું તથા આતંકવાદ ફેલાવવામાં હિસ્સો લીધો. તો શું આ ફિલ્મી જોકર આ દેશની માફી માગશે. જો કે, દિલ્હીના તોફાનોમાં જાન ગુમાવનારાઓની ભરપાઈ કોણ કરશે?
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિલ્હી હિંસામાં ૫૦થી વધુ લોકોના મોત થયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન અનેક લોકોની ધરપકડ થઇ હતી. આ લિસ્ટમાં ઉમર ખાલિદનું પણ નામ સામેલ હતું. તેની વિરુદ્ધ તાજેતરમાં જ દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઉમરની હિંસામાં સક્રિય ભૂમિકા પર ભાર આપવામાં આવ્યો છે, આ ઉપરાંત તેના એ નિવેદનનું પણ સમાવેશ કરાયુ છે, જેમાં તેણે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને બાળકોનો ઉપયોગ થયો હતો.હવે અભિનેત્રી કંગના રનૌતે ઉમર ખાલિદના બહાને બોલિવૂડ પર નિશાન સાધ્યું છે. તેણે આખા બોલિવૂડને આડે હાથ લેતાં એ દરેક સેલિબ્રિટી પર નિશાન સાધ્યું છે, જેમણે શાહીનબાગ અથવા જેએનયુના વિદ્યાર્થીઓને ટેકો આપ્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ