Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર એસ.પી.જી. ગ્રુપ દ્વારા લવ જેહાદ મામલે આવેદનપત્ર સોંપાયુ

વિજાપુર તાલુકા સરદાર પટેલ સેવાદળ સમિતિ દ્વારા લવ જેહાદ મામલે એસપીજી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહીને મામલતદાર કચેરીએ જઈને મામલતદાર રિધ્ધિબેન શુકલાને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું તેમજ લવ જેહાદ માટે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી. આ અંગે એસપીજી ગ્રુપના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લવ જેહાદના મામલા બની રહયા છે જે અનુસંધાનમાં જે લોકો બદ ઈરાદો રાખીને ગરીબ ઘરની દીકરીઓને મોહજાળમાં ફસાવીને, હિન્દુ કુળની દીકરીઓને ફોસલાવી ભગાડી જઇને લગ્ન કરી લે છે તેવા લોકોની સામે સખ્ત કાયદો બનાવીને પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર મામલતદાર સમક્ષ રજૂઆત કરીને સોંપ્યું હતું. આવેદનપત્ર સોંપતી વેળા સરદાર પટેલ સેવાદળના રૂપમ પટેલ, તૃષાલ પટેલ, ક્રિશ પટેલ, પાર્થ પટેલ, ભાવિક પટેલ, સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

અમદાવાદમાં પાટીદારો દ્વારા કેસ પાછા ખેંચવા અને અન્ય મુદ્દાઓ સાથે બેઠક યોજાઈ

aapnugujarat

નવરાત્રિ ધામધૂમથી ઉજવાશે પણ મોંઘવારી ખેલૈયાઓનેે નડશે

aapnugujarat

માથાસુર ગામનાં સ્મશાનગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1