ડભોઈ તાલુકા /શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાલી રહેલ દેશભરમાં ખેડૂત આંદોલનમાં પોતાનો જીવ ગુમાવી સમગ્ર ખેડૂતોના હક ખાતર બલિદાન આપનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને નિર્ણય ના કારણે ગુજરાત અને દેશમાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકારે ત્રણ કાળા કાયદા પસાર કરતા ભારતના અન્નદાતાને મરણતોલ અને ખેડૂતોની કમર તોડી નાંખી નાના મોટા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી રણનીતિ રમતા આ સમગ્ર બાબતે દેશભરમાં ખેડૂતો દ્વાર ભારે આક્રોશ પર્વતી રહ્યો છે, જ્યારે સમગ્ર દેશના ખેડૂતો સતત ૨૭ દિવસથી દિલ્હીમાં ઠંડીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય આ હિંસક આંદોલનમાં ૩૦ જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. આવા વિકટ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરવા હાકલ કરાઈ હતી જેના અનુસંધાનમાં આજરોજ ડભોઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહીદી વ્હોરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ – ભુપેન્દ્ર પટેલ, ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ- જીમીત ઠાકર, નગર પાલિકા સભ્ય નૂરમહમ્મદ મહુડવાળા, સુધીર બારોટ, મુન્નવર મન્સૂરી તથા ડભોઈ કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)