સમગ્ર રાજ્યમાં થોડા દિવસ પહેલા હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરી હતી અને તે સમયે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો જેને લઈને યાત્રાધામ વીરપુરમાં પણ કમોસમી માવઠું વરસ્યું હતું જે કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસ વગેરે પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ હતી જેને લઇ વીરપુરમાં શાકભાજીના પાકની ખેતી કરતા ખેડૂતોને પણ આ માવઠાની અસર થઈ હતી. વીરપુરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કોબીજ, ફુલાવરની ખેતી કરતા હરસુખ સાકરીયાએ પોતાના ૨૨ વીઘા જેટલા ખેતરમાં ફુલાવરનો પાક વાવેલો છે આજે તેમણે પોતાના ૮ થી ૧૦ વીઘા જેટલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું.મિડિયા સાથેની વાતચીતમાં ખેડૂત હરસુખભાઈએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા કમોસમી માવઠું પડવાથી માર્કેટમાં ફુલાવરનો ભરાવો થયો હોય અને એક વીઘા જેટલા ખેતરમાં ફુલાવરના પાકનું વાવેતર કરવા માટે અંદાજે ૧૫ હજાર જેટલો ખર્ચ થાય છે અને આજે માર્કેટમાં એક રૂપિયા નજીવા ભાવે પણ કોઈ ફુલાવર ખરીદી કરતું નથી અને માવઠું પડવાથી ફુલાવરનો પાક પણ સડી જવા લાગ્યો હતો માટે તેમને પોતાના જીવની જેમ સાચવીને ઉગાડેલા ફુલાવરના પાક પર આજે રોટાવેટર ફેરવી દીધું હતું, આવી જ રીતે યાત્રાધામ વીરપુરના ઘણાં ખરા ખેડૂતોએ પોતાના પાકો પર રોટાવેટર ફેરવી નુક્સાની સહન માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)