બી આર સી ભવન કરજણ ખાતે ૩ ડિસેમ્બરે અંધ જન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રભાત અંધજન જન સેવા મંડળ દ્વારા અંધ બાળકોને ઘર વપરાશની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કોરોનાની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સથી કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. માસ્ક અને સેનેટાઇઝરનું પણ વિતરણ કરાયું હતું જેમાં ૧૦૧ કીટ વહેંચવામાં આવી હતી. પ્રભાત અંધજન મંડળ દ્વારા અંધજનો સાથે ક્ષણિક સમય વિતાવી તેમનો ગમ ભુલાવી તેમને ખુશી આપવાનું અને તેમની ખુશીઓમાં સહભાગી બની એક અદભુત કાર્ય કરી પ્રભુએ જેઓને દૃષ્ટિ અર્પી છે તેવા લોકો પણ આવા અંધજનો અને વિકલાંગોને મદદરૂપ થઈ તેમના અંધકારમય જીવનમાં એક રીતથી રોશની ફેલાવી તેઓનું જીવન આનંદથી પ્રફુલિત કરે.
(અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)