પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલાં સદનપુર ગામનાં કૂવામાં બે નીલ ગાયો પડી જતા વન વિભાગ અને ગ્રામજનો દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ગાયોને બચાવી લેવામાં આવી હતી. સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર કૂવામાં બે નીલ ગાયો કૂવામાં પડી હોવાનું ગ્રામજનોનાં ધ્યાને આવતાં તેઓએ તુરંત જ શહેરા વનવિભાગને જાણ કરી હતી. કૂવામાં પાણી બહુ હોવાથી આ ગાયોને રેસક્યુ કરવામાં કર્મચારીઓ અને ગ્રામજનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વન વિભાગના કર્મીઓએ દોરડા અને જાળીની મદદથી આ ગાયોને બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયો જેવી કૂવામાંથી બહાર નીકળી કે તુરંત જ જંગલ વિસ્તારમાં જતી રહી હતી. વનવિભાગનાં કર્મચારીઓની સરાહનીય કાર્યની ગ્રામજનોએ ખૂબ જ પ્રશંસા કરી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)