Aapnu Gujarat
રાષ્ટ્રીય

યાંત્રિક ખામીને કારણે મુંબઈ મેટ્રોની ટ્રેન સેવા અડધો કલાક ખોરવાઈ; પ્રવાસીઓ હેરાન-પરેશાન

ઘાટકોપરથી વર્સોવા વચ્ચે ચલાવાતી મુંબઈ મેટ્રો ટ્રેન સેવા આજે સવારે ધસારાના સમયે ખોરવાઈ જતાં ટ્રેન પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા.આજે સવારે લગભગ ૯ વાગ્યાના સુમારે યાંત્રિક ખામી ઊભી થવાને કારણે ટ્રેન સેવા અંધેરી-વર્સોવા સ્ટેશનો વચ્ચે ખોરવાઈ ગઈ હતી.ટ્રેન સેવા અટકી જતાં અંધેરી, આઝાદ નગર, ડી.એન. નગર અને વર્સોવા સ્ટેશનો પર લોકોની અપાર ભીડ જામી હતી.સત્તાવાળાઓએ તરત જ કામે લાગીને અડધા કલાકમાં એ યાંત્રિક ખામી દૂર કરી દીધા બાદ ટ્રેન સેવા ફરી શરૂ થઈ હતી.મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતી ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી લાખો પ્રવાસીઓને ઘણી રાહત થઈ છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનો તો લગભગ રોજ ૧૦-૧૫ મિનિટ મોડી પડતી હોય છે. આ લાઈનો પર ટ્રેન સેવા કોઈકને કોઈક કારણસર અમુક મિનિટો સુધી ખોરવાઈ જતી હોવાનું વારંવાર બનતું હોય છે, પણ મેટ્રો ટ્રેન સેવા અડધો કલાક સુધી ખોરવાઈ જાય એ તેના પ્રવાસીઓને જરાય પરવડે નહીં.અડધા કલાકના વિલંબ બાદ મેટ્રો ટ્રેન દ્વારા થઈ ગયા બાદ મુંબઈ મેટ્રો કંપનીએ આ ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી.

Related posts

જાણો અનલૉક 3માં શું ખુલવાની શક્યતા?

editor

મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નવું નામ દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન

aapnugujarat

महाराष्ट्र सरकार ने ‘शक्ति’ कानून बनाने की दी मंजूरी

editor

Leave a Comment

UA-96247877-1