Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઝમ ખાનની જીભ કાપીને લાવનારને ૫૦ લાખનું ઈનામઃ વીએચપી નેતારાજેશ ગોસ્વામી

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવેદન પરનો વિવાદ જાણે ખતમ થવાનું જ નામ નથી લઈ રહ્યો.
ગુરૂવારે યુપીના શાહજહાંપુરમાં વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મંત્રી રાજેશ ગોસ્વામીએ આઝમ ખાનની જીભ કાપીને લાવનારને ૫૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. રાજેશ અવસ્થીએ કહ્યું કે ભારતીય સેનાના કારણે જ દેશવાસીઓ નિરાંતનો શ્વાસ લઈ શકે છે. આઝમ ખાને સૈનિકો વિરૂદ્ધ જે ટીપ્પણી કરી છે, તે ઘણી જ નિંદનિય છે.
’આઝમ ખાનનું માથું વાઢી નાંખવુ જોઈએ’રાજેશ અવસ્થીએ કહ્યું કે, “ એવા લોકોને ભારતમાંથી હાંકી મુકવા જોઈએ. આઝમ ખાનનું માથું વાઢી નાંખવુ જોઈએ. તેને પહેલાં ભારત માતાને લઈને ટીપ્પણી કરી હતી. જે બાદ હવે ભારતીય સૈનિકો વિરૂદ્ધ વિવાદિત નિવેદન કર્યું છે.”હું આઝમ ખાનની જીભ કાપીને લઈને આવનાર લોકોને ૫૦ લાખ રૂપિયાનું ઈનામ આપીશ. આઝમ જેવા જયચંદોને કારણે દેશનું કયારેય કલ્યાણ નહીં થઈ શકે.રાજેશ અવસ્થીએ ગુરૂવારે કલક્ટ્રેટ ગેટ પર આઝમ ખાનના પૂતળાનું દહન કરી આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

Related posts

રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ૨૦૨૩ સુધીમાં ખુલ્લું મુકાશે

editor

વિવાદાસ્પદ સ્થળ ઉપર રામ મંદિર ચોક્કસ બનશે : ભૈયાજી જોશી

aapnugujarat

फसलों की पैदावार बढ़ाने खेतों में देशी शराब का छिड़काव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1