હાથરમાં જે ઘટના ઘટીછે તેને લઈ મહા દલિત પરીક્ષ સંઘ, સમસ્ત વાલ્મિકી સમાજ અને દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, પિડિતા મનિષાના આરોપીઓને ફાંસીની સજા થાય તેમ જણાવાયું છે. આ બનાવને લઈ સમગ્ર સમાજમાં ભારે આક્રોશ છે. લોકો પોતાની બહેન – દીકરીઓને ઘરની બહાર મોકલવાનું સો વખત વિચારશે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાથરસ પિડિતા મનિષા ઉપર ચાર નરાધમોએ ગેંર રેપ ગુજારી તેની જીભ કાપી નાંખી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)