Aapnu Gujarat
ગુજરાત

જમાલપુર અને રાયખડમાં સેનેટાઈઝની કામગીરી કરાઈ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ કોવિડ – ૧૯ના કેસ વધતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીના માર્ગદર્શન હેઠળ જમાલપુર, રાયખડ અને અલગ-અલગ વિસ્તારમાં જઈ સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. રાયખડ ખાતે કોટની રંગ, રાયખડ પોલીસ લાઇન , સૈયદ વાડ, સૈયદ અશ્કરી મિયાની મસ્જિદ, પુંજાલાલની ચાલી, પાર્વતીની ચાલી, રોહિલા વાડ , પથ્થરવાલી મસ્જિદ, યાસીનની મસ્જિદની પાસે, મેથડ ચર્ચ તથા દિવાન બંગલો સહિતના વિસ્તારોમાં સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં ઈમરાન ભાઈ કાદરી, જાવેદ કુરેશી, આઇ.એમ. મુનશી અબ્રાહમ મન્સૂરી , સામાજિક કાર્યકર્તા પૂનમ ચૌધરી, મમદ શેખ, ફરજાના કાદરી, તારીખ ચિસ્ટી, સ્થાનિક લોકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહયોગ મળ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

એટીએસ દ્વારા જુહાપુરામાંથી કોલસેન્ટર ઝડપાયુ

editor

બજેટ ગુજરાતના વિકાસને નવી ઉંચાઈ ઉપર લઇ જશે : વાઘાણી

aapnugujarat

नल सरोवर पक्षी अभ्यारण्य मुद्दे हाईकोर्ट की पीआईएल : केन्द्र और राज्य सरकार को नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1