દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ૭૦માં જન્મદિવસ પ્રસંગે તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલનું સ્વાસ્થ્ય સારું થાય તેમજ કોરોનાકાળમાં દેશવાસીઓનું તેમજ વિજાપુર તાલુકા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વિજાપુર દ્વારા વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નિતિન પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રાજુભાઇ, મહામંત્રી યોગેશભાઈ, સરપંચ માધુભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી સંજય પટેલ, રોટે, પરેશ પટેલ, અભિક પટેલ, કાર્યકરો અને હોદેદારોએ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)