હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી એ.જે.રાજપુત વિરુદ્ધ ભ્રષ્ટાચારની બાબતે ભાજપના તાલુકા પંચાયત સીટના સદસ્ય દ્વારા રાજ્ય સરકારમાં મંત્રીમંડળ સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી રાજપુત અનિયમિત પંચાયતમાં આવતા હોય છે જ્યારે ટીડીઓની ઈચ્છા હોય ત્યારે આવે અને ઈચ્છા હોય ત્યારે નીકળી જાય છે તેમજ પંચાયતના વિકાસના કામોમાં કર્મચારીઓ પાસેથી ઉંચી ટકાવારી ઉઘરાવી રહ્યા છે તેમજ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય છે. નિકોડા ગામના લાભાર્થીને આવકનો દાખલો કઢાવવા બાબતે ડીડીઓએ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે લાભાર્થીને કહેલ ત્યારબાદ લાભાર્થી ગામના અગ્રણી અને નિકોડા તાલુકા પંચાયત સીટના ભાજપના સદસ્ય નરેન્દ્ર ઇશ્વરભાઇ પટેલ ટીડીઓને ભલામણ કરતા ટીડીઓએ નરેન્દ્ર પટેલ સાથે અભદ્ર વર્તન કરી બીજા દિવસે અન્ય કોઇને ભલામણથી લાભાર્થીની આવકનો દાખલો કાઢી આપેલ હતો. જનતાની સેવા માટે ચૂંટાયેલા લોક સેવક સાથે ટીડીઓએ અવગણના કરતા તેમને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત પંચાયત ગ્રામ ગૃહના અગ્ર સચિવ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ હિંમતનગર મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)