Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશનું રાજીનામું એ ઠાકોર સેનાના પાયાના કાર્યકરોનું અપમાન છે : અમિત ચાવડા

કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રેદશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરીને તેમના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અલ્પેશે જે પત્ર દ્વારા રાજીનામું આપ્યું અને ત્યારબાદ પ્રેસકોન્ફરન્સ કરીને જે ભાષા વાપરીએ ખરાબ બાબત છે દુર્ભાગ્ય પૂર્ણ છે. તેમના નિર્ણય ઠાકોર સેનાના પાયાના કાર્યકરો અને નાના પાયામાં કામ કરતા કાર્યકરો જેમણે તેમને વિધાનસભાના સભ્ય બનાવ્યા છે તે તમામનું અપમાન થયું છે.
ઠાકોર સમાજ ખુબ જ સમજૂ અને શાણો સમાજ છે અનેક રાજકીય નેતાઓને મત આપીને રાજકીય સત્તા સુધી પહોંચાડ્યા છે. સમાજના લોકો પક્ષાપક્ષીથી પર રહીને સમાજના વિકાસ માટે યોગ્ય નેતાઓને ટેકો પણ આપે છે.
વિધાનસભા ચૂંટણી વખતે અલ્પેશના સાથીઓ કોંગ્રેસમાં જોડાયા અને અલ્પેશને પણ સંગઠનમાં જવાબદારીઓ આપી અને ચૂંટણી લડવાની તક આવી હતી.વિધાનસભા ચૂંટણી વખતે એમાં પણ રાધનપુર જેવી બેઠક હોય એમાં કોંગ્રેસના કાર્યકરોની મહેનત અને સમાજના આશિર્વાદથી તેમને જીત મળી હતી.

Related posts

લીંબડી તાલુકા પંચાયત ખાતે પેન ડાઉન કાર્યક્રમ

editor

BJP-Congress slams Pakistan over new map

editor

मुख्यमंत्री द्वारा १०८ सेवा की मोबाइल एप का लॉन्चिंग किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1