Aapnu Gujarat
ગુજરાત

નંદાસણમાં શ્રી વીરમાયા દેવની જન્મ જ્યંતિ ઉજવાઈ

કડી તાલુકાના નંદાસણ મુકામે સમગ્ર જીવસૃષ્ટિ માટે પોતાનાં દેહનું બલિદાન આપનાર અનુસુચિત જાતિના મુક્તિદાતા શ્રી વીરમાયા દેવ આશરે ૯૩૧ વર્ષ પહેલાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામે વિક્રમ સવંત ૧૧૪૫ના ભાદરવા સુદ -૯ નોમના પવિત્ર દિવસે જન્મ્યા હતાં.

શ્રી વીરમાયા દેવની જન્મ જયંતીની ૨૭ ઓગસ્ટના રોજ સમગ્ર પરગણા વણકર સમાજના અગ્રણી ભીખાભાઈ એ. મકવાણાના નેતૃત્વમાં ઉજવવામાં આવી હતી. જન્મ જ્યંતિ નિમિત્તે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોને ચોકલેટ અને વેફર્સ પ્રસાદ રૂપે આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, અહીં આવેલ તમામ લોકોને સમાજ જાગૃતિ અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી.

Related posts

પીએસઆઇ-કોન્સ્ટેબલોને ૩ બીએચકેના મકાનો મળશે

aapnugujarat

પાણી મુદ્દે પ્રજાને સાથે રાખી કોંગ્રેસ જનઆંદોલન છેડશે : અમિત ચાવડા

aapnugujarat

લૂંટેરી દુલ્હન : કપડવંજના યુવક સાથે પરણેલી યુવતી લાખો રૂપિયા લઈને છૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1