સિદ્ધપુર-પાટણના કુણધેર ગામમાં સાત વીઘા જમીનમાં શિવધામ બની રહ્યું છે જેમાં શિવજીની તપસ્યા મુદ્રામાં વિશાળ પ્રતિમા તૈયાર થઈ રહી છે તો સાથે સાથે દ્વાદશ જ્યોતિલિંગ શિવ પરિવારનો પણ સમાવેશ આ તીર્થમાં કરવામાં આવ્યો છે. ભગવાન સોમનાથની અખંડ જ્યોતના દર્શન થાય તેવો સંકલ્પ પ્રદીપ બારોટે કર્યો હતો.
અખંડ જ્યોત માટે સંકલ્પ-પૂજા કરી જ્યોત પ્રજવલિત કરી પ્રદીપ બારોટે પગપાળ પ્રસ્થાન કર્યું છે. પ્રદીપભાઈ દરરોજ ૨૫ થી ૩૦ કિલોમીટર ચાલી આ અખંડ જ્યોતને સિદ્ધપુર-પાટણ ૨૦ થી ૩૦ દિવસની યાત્રા ખેડી શિવધામે પહોંચાડશે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)