Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવી શિક્ષણ નીતિ રાફેલ કરતા વધુ જરૂરી પરંતુ તેના અમલ અંગે ચિંતા છે : શિવસેના

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને લઈને ટિપ્પણી કરી છે. શિવસેનાએ લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી શિક્ષણ નીતિ રાફેલ ફાઈટર જેટન ખરીદી કરતા વધારે જરૂરી છે પરંતુ તેને લાગુ કરવા મામલે ચિંતા થઈ રહી છે.સંપાદકીયમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે દેશની શિક્ષણ નીતિને સંપૂર્ણ રીતે બદલી નાંખી છે. ૩૪ વર્ષ બાદ આવું થયું છે. આ મુદ્દો રાફેલ વિમાનોથી વધારે જરૂરી છે. હવે આપણને નવું શિક્ષણ મંત્રાલય મળી ગયું છે તો નવા શિક્ષણ મંત્રી પણ મળશે. જે કોઈને પણ શિક્ષણ વ્યવસ્થા અંગે બધુ જ જાણે છે તેને આ પદ સોંપવું જોઈએ. કેટલાક લોકો એવા છે જેમને ફાયનાન્સની જાણકારી નથી કે પછી હેલ્થ સેક્ટરની જાણકારી નથી પરંતુ મંત્રાલય સોંપવામાં આવ્યા છે અને તેમણે સારું કામ કર્યું નથી.શિવસેનાએ પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યુ. જો કે પાર્ટીએ સવાલ ઉભા કર્યા કે આ નિયમ માત્ર સરકાર સ્કૂલો સુધી મર્યાદિત રહેશે કે પછી પ્રાઈવેટ અને મિશનરી સ્કૂલ સુધી પહોંચી શકશે?

Related posts

બીએસએનએલ કદાચ ૫૪ હજાર કર્મચારીઓને છૂટા કરશે

aapnugujarat

ગરીબી હટાઓના સુત્રો દેશ આઝાદ થયો ત્યારથી આપણે સંભારતા આવ્યા છીએ : મોદી

aapnugujarat

PM Modi to attend G20 summit at Osaka in Japan from June 27 to 29

aapnugujarat

Leave a Comment

UA-96247877-1