સિક્કિમ સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો હેઠળ રાજ્યભરમાં લાગૂ લોકડાઉન ૧લી ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લાગૂ લોકડાઉન રવિવારે પૂર્ણ થવાનું હતું.રાજ્યના મુખ્ય સચિવ એસસી ગુપ્તાએ નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે, સ્થિતિ પર વિચાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સિક્કિમમાં લાગૂ લોકડાઉનની મર્યાદા ૧લી ઓગસ્ટ સવારે ૬ વાગ્યા સુધી વધારી દેવામાં આવે.એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણથી રવિવારે પહેલું મોત થયું. સિક્કિમમાં ૩૫૦ સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે સંક્રમણના કુલ ૪૯૯ કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં ૧૪૨ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.
આગળની પોસ્ટ