Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગના સિક્કા ચોરાયા

સાબરકાંઠાના હિંમતનગર બહુમાળી ભવન ખાતે આવેલ સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગમાં સરકારી કામકાજ માટે વપરાતા રબ્બર સ્ટેમ્પના અંદાજે છ સિક્કા ચોરી થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ હિંમતનગર કલેકટર કચેરી બહુમાળી ભવનમાં આવેલ ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં ટેબલનું લોક તોડી કોઈ અજાણ્યા ઈસમ છ રબ્બર સ્ટેમ્પ સિક્કાને ચોરી કરેલ છે, અનુસંધાને ખાણ અને ખનીજ વિભાગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તે સાથે જ ખનીજના ધંધા સાથે સંકળાયેલ ઇસમો દ્વારા જ ચોરી થઇ હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસ આ બાબતે આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
(તસવીર / અહેવાલ : – દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નઝીર ઉપર ગોળીબાર કરનારો પાનેરી ઝડપાયો

aapnugujarat

પતિનાં હત્યા કેસમાં CIDને તપાસ સોંપવા માટે રિટ થઇ

aapnugujarat

નવા કાયમી ડીજીપી તરીકેે શિવાનંદ ઝાની નિમણૂંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1