સાબરકાંઠાના હિંમતનગર બહુમાળી ભવન ખાતે આવેલ સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગમાં સરકારી કામકાજ માટે વપરાતા રબ્બર સ્ટેમ્પના અંદાજે છ સિક્કા ચોરી થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ હિંમતનગર કલેકટર કચેરી બહુમાળી ભવનમાં આવેલ ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં ટેબલનું લોક તોડી કોઈ અજાણ્યા ઈસમ છ રબ્બર સ્ટેમ્પ સિક્કાને ચોરી કરેલ છે, અનુસંધાને ખાણ અને ખનીજ વિભાગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તે સાથે જ ખનીજના ધંધા સાથે સંકળાયેલ ઇસમો દ્વારા જ ચોરી થઇ હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસ આ બાબતે આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
(તસવીર / અહેવાલ : – દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ