દિયોદર ખાતે તાજેતરમાં પી.એસ.આઈ. તરીકે એ. એલ. આહીર આવેલ છે અને તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છેે તેમજ સરાહનીય કામગીરી પણ કરી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આહીરનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ શાહ, સહમંત્રી સી. કે .શાહ, નાગજીભાઈ દેસાઈ ,અમરતભાઈ ભાટી, રમેશ સોની હાજર ર્હયા હતાં.
(તસવીર / અહેવાલ : -રઘુભાઈ નાઈ, દિયોદર)