દાહોદ શહેરમાં ચકચારી ઘટના સામે આવી છે. દાહોદ શહેરના ઠક્કર ફળીયા સ્થિત ગુરૂદ્વારાની બાથરૂમમાં લોહીથી લથપથ યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે . યુવતીની લાશ પાસે તીક્ષ્ણ હથિયારથી ગંભીર રીતે ઘવાયેલો યુવક પણ મળી આવ્યો હતો.
યુવક-યુવતી એક બીજાને અનહદ પ્રેમ કરતા હતા. જોકે પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થયાની જાણ પ્રેમીને થતાં તેણે પ્રેમિકાને છેલ્લી વાર ગુરુદ્વારામાં મળવા માટે બોલાવી હતી. જ્યાં બન્ને વચ્ચે રકઝક થતાં પ્રેમીએ તીક્ષણ હથિયારના ઘા મારી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ શરીરે જીવલેણ ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે સમગ્ર બાબતે પ્રકરણમાં અનેક શંકાકુશંકાઓએ ઉભી થઇ છે, ત્યારે ખરેખર પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી છે? કે પછી કોઈ કે આ બંનેને મારી નાખવાનો કારસો ઘડ્યો છે. તે હાલ તપાસનો વિષય બન્યો છે.
હાલ તો જીવન મરણની વચ્ચે ઝોલાં ખાઈ રહેલો પ્રેમી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે દાહોદ ટાઉન પોલીસ હાલ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે. ત્યારે બીજી તરફ યુવકે ઘટનાના કેટલીક મિનિટો પહેલા બન્ને પ્રેમી પંખીડાએ હસતા ચેહરે જીવનની શરૂઆત અને જીવનનો અંત લખેલા છેલ્લા સ્ટેટ્સ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્યા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપ્યાની માહિતી સપાટી પર આવી છે.
યુવતીના મૃતદેહને પીએમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે. પ્રેમી યુવક પંકજ લાલભાઈ વણઝારા ( ઉ.વ.૨૧, રહે.વણઝારવાડ, તા.ઝાલોદ લીમડી) અને યુવતી કે જે સગીર વયની હોવાનું કહેવાય છે તે દાહોદ શહેરમાંજ રહે છે અને તે યુવતીના લગ્ન પણ શુક્રવારના રોજ યોજાવાના હતા, ત્યારે લગ્નના ૨ દિવસ અગાઉ જ યુવતીની નિર્મમ હત્યા પ્રેમીએ કરતા સમગ્ર દાહોદ જીલ્લામાં ખળભળાટ મચ્યો છે. ગરુદ્વારામાં સેવા બજાવતા સેવકે સમગ્ર ઘટના વર્ણવી હતી.
આગળની પોસ્ટ