શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલના કંપાઉન્ડ વોલનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલના કંપાઉન્ડ વોલ માટે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા તથા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જગાભાઇ રાઠવાની સ્થાનિક વિસ્તાર વિકાસના અનુદાનમાંથી ગ્રાન્ટ ફાળવતા શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ખાત મુહુર્ત સુખરામભાઇ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જગાભાઇ રાઠવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાળાના ટ્રસ્ટી રણજીતસિંહ રાઠવા, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અલકેશ રાઠવા, શિથોલ ગામના પૂર્વ સરપંચ ઉદેસિંગ રાઠવા તથા શાળાના આચાર્ય શાહિદ શેખના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુખરામ રાઠવા તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગાભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે શાળાના કંપાઉન્ડ વોલનું કાર્ય પ્લાન એસ્ટીમેટ મુજબ ઝડપથી પૂર્ણ થાય જેથી શાળા ને આવનાર સમયમાં બોર્ડ ના પરીક્ષા કેન્દ્ર મેળવવામાં કોઇ મુશ્કેલી નડે નહીં. જ્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાળાના ટ્રસ્ટી રણજીતસિંહ રાઠવાએ શાળાનું ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનું ૧૦૦ ટકા પરિણામ આવતા શાળાના આચાર્ય શાહિદ શેખ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવી આવી જ રીતે શાળા પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા આપી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
આગળની પોસ્ટ