Aapnu Gujarat
મનોરંજન

સુશાંતની દિલ બેચારા ૨૪ જુલાઈએ થશે રિલીઝ

બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાથી તેના લાખો ફેન્સ હજી પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. તેને ન્યાય મળવો જોઇએ તેવી માગણી છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર થઈ રહી છે. હવે સુશાંતની અંતિમ ફિલ્મ વિશે તેના મેકર્સે સુશાંતના ફેન્સ માટે એક સ્પેશિયલ સરપ્રાઇઝની જાહેરાત કરી છે.
સુશાંતની અંતિમ ફિલ્મ દિલ બેચારા ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે અને તે માટે તારીખ સાથે એક સરપ્રાઇઝ પેકેજની જાહેરાત પણ કરાઇ છે.કાસ્ટિંગ ડાયરેક્ટરમાંથી ફિલ્મના ડારેક્ટર બનેલા મુકેશ છાબરાની ફિલ્મ દિલ બેચારામાં સુશાંત છેલ્લી વાર જોવા મળશે. તેમાં તેની સાથે સંજના ગાંધી રોલ કરી રહી છે. આ ફિલ્મ ૨૪મી જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. પરંતુ સાથે સાથે એક સ્પેશિયલ ઓફર પણ કરાઈ છે.ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતી વખતે હોટસ્ટારે જાહેરાત કરી હતી કે આ ફિલ્મ નિહાળવા માટે કોઈ સબસ્ક્રીપ્શનની જરૂર નહીં પડે તેને વિના મૂલ્યે જ નિહાળી શકાશે.કોરોના વાયરસને કારણે ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન થઈ રહ્યું છે. નવી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. જેમાં અક્ષય કુમાર, અજય દેવગણ અને અનુષ્કા શર્માની વિવિધ ફિલ્મોનો સમાવેશ થાય છે.

Related posts

ડોન-૩ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા કામ કરનાર નથી

aapnugujarat

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

‘1962: ધ વોર ઈન ધ હિલ્સ’

editor

Leave a Comment

UA-96247877-1