ઉનાના સેંજલિયા ગામ નજીક દરિયામાં વીજળી પડતાં બે લોકોનાં મોત નિપજ્યા છે અને એક શખ્સનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતકોમાં જીણાભાઈ વાઘાભાઈ પરમાર (ઉં.વ.૩૦) અને જાદવભાઈ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)નો સમાવેશ થાય છે તો બીજી ઘટનામાં ગીર ગઢડા તાલુકાના ઈટાવાયા ગામમાં પણ વીજળી પડતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થવા પામી છે જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને શખ્સો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.
(અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)
આગળની પોસ્ટ