Aapnu Gujarat
Uncategorized

સેંજલિયા અને ઈટાવાયા ગામમાં વીજળી પડતાં ત્રણનાં મોત

ઉનાના સેંજલિયા ગામ નજીક દરિયામાં વીજળી પડતાં બે લોકોનાં મોત નિપજ્યા છે અને એક શખ્સનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતકોમાં જીણાભાઈ વાઘાભાઈ પરમાર (ઉં.વ.૩૦) અને જાદવભાઈ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)નો સમાવેશ થાય છે તો બીજી ઘટનામાં ગીર ગઢડા તાલુકાના ઈટાવાયા ગામમાં પણ વીજળી પડતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થવા પામી છે જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને શખ્સો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.
(અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

સોમનાથ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

TMCના સાંસદ મહુઆ મોઇત્રાની ટીપ્પણી થી જૈન સમુદાય નારાજ

editor

ગીર-સોમનાથ જિલ્લામાં નવા મતદાર-કમી-સુધારણા ઝુંબેશમાં અંતિમ ચરણ સુધીમાં ૩૪૭૧૪ ફોર્મ ભરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1