ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અંગે વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ચૂંટણીપંચનાં આદેશથી જિલ્લામાં ત્રણ તબક્કે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા મતદાન બુથોએ તેમજ પ્રચાર માધ્યમોથી પ્રચાર કરી યોજાયેલ હતી જે પ્રક્રિયા હવે પૂર્ણ થતાં સમગ્ર જિલ્લામાં ૩૪૭૧૪ ફોર્મ નવા દાખલ-કમી-સુધારા કે એડ્રેસ બદલવા અંગેના આવેલા છે જેની નિયમાનુસાર પ્રક્રિયાઓ કરી તા.૨૫-૯-૨૦૧૭ બાદ પાત્રતા ધરાવતા નવા મતદારો મતદાર યાદીમાં સામેલ થશે જેમાં સૌથી વધુ સોમનાથ વિધાનસભા બેઠકમાં ઉમેરાય તેવી શક્યતા છે.
પાછલી પોસ્ટ