બનાસકાંઠા : વિશ્વ ભરમાં અને ભારતમાં પણ કોરોના વાઇરસ થી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે એક બાજુ કોરોના વાઇરસની અસર ને લઇ લોકો સ્વચ્છતા જાળવવી રહ્યા છે ત્યારે કાંકરેજ ના થરા નગરપાલિકા ની હદમાં ગંદકીનું મોટા પ્રમાણમાં સામ્રાજ્ય જામ્યું છે.ને સવાલ એ છે કે કેમ થરા નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે.અે મોટો પ્રશ્ર જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ હવે ગુજરાત મા પણ કોરોનાઅે પેસારો કરો છે.ત્યારે તંત્ર દ્વારા ન્યુઝ પેપર તેમજ ટીવી પર જાહેરાત પ્રસિદ્ધ કરી સ્વસ્થતા જાળવા લોકો ને અપીલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે થરામાં અનેક જગ્યાએ ભંયકર ગંદકીના કારણે રોગચાળો ફેલાય તો નવાઇ નહીં..! ત્યારે થરા માં ઠેર ઠેર આવા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.એ ક્યારે ખાલી કરાવવામા આવ છે. ત્યારે લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે છું આ રીતે થશે સ્વચ્છ ભારત તે એક મોટો પ્રશ્ન લોકોમાં છે.તો બીજી બાજુ વાત કરવામા આવે તો થરામા અનેક જગ્યાઅે ઠંઠા પીણા વેચાવુ નુ પણ ચાલુ છે.ત્યારે અમે આ મહેતી મેળવવા માટે થરા નગર પાલીકાના ચીફ આેફીસને વારમ વાર ફોન કરવા છતા ફોન ઉપાઙ્યો ન હતો.ત્યારે અેક બાજુ સરકાર કોરોના વાયરસ ના ફેલાય તેના માટે તનતોઙ મહેનત કરી રહી છે. પણ આ થરા નગર પાલીકાના ચીફ આેફીસ સાહેબને મીઙીયાના કમીઁનો ફોન ઉપાઙતા શુ? પેટમાં દુખેસે તે તો તે સાહેબ જાણે.ત્યારે હવે આ મિડિયા ના અહેવાલ થી થરા નગરપાલિકા જાગશે કે ફરી આંખ આડા કાન કરી બેઠી રહેશે..! તે તો ઉચ્ચ અધીકારીઆે જાણે…
(તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી, કાંકરેજ બનાસકાંઠા)