Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ખાતે જાગા સ્વામી ભવનમાં ૧૨મો સમુહ લગ્નોત્સવ પરિપૂર્ણ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે મોહનપુર પંચ જાગા સ્વામી પરિવાર અને યુવક મંડળ દ્વારા બારમા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો જેમાં સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.
મોહનપુર સમાજ દ્વારા તેમજ સમાજ બહારના દાતાઓએ ૪૧ જેટલી ભેટો નવદંપતીઓને આપી હતી તેમજ ટ્રાફિકના નિયમોને લઈ સાત યુગલોને સમાજના દાતા દ્વારા નવદંપતીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ પહેરવાથી જીવ બચી શકે છે સાથે ટ્રાફિક નિયમનું પાલન થાય છે.
સમાજ દ્વારા જાગા સ્વામી ભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે.
ડોક્ટરોની ટીમ સાથે બ્લડ પ્રેશર તપાસ. ડાયાબિટીસ તપાસ. સમાજના ૩૦૦થી વધુએ ચેકઅપ કરાવ્યું સમાજના બંધુઓ દ્વારા બ્લડ બેંકમાં ૧૦થી વધુ બોટલ રક્તદાન કરવામાં આવ્યું. મોહનપુર પંચ જાગા સ્વામી અક્ષર પરિવાર પ્રમુખ ઘનશ્યામ ચૌહાણ. તથા મંત્રી વિનુ ચૌહાણ તથા યુવક મંડળ પ્રમુખ શૈલેષ ચૌહાણ તથા મંત્રી જ્યંતિલાલ ડી. સોલંકી તથા સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ વસંત ચૌહાણ તથા મંત્રી પિયુષ એમ રોય તથા સભ્યો દ્વારા તેમજ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન સુખ શાંતિથી પૂર્ણ કર્યું.
સમૂહ લગ્નના પ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો તેમજ સમાજના વડીલો યુવાનોએ સાથ-સહકાર આપી બારમો સમૂહ લગ્નોત્સવ ૨૦૨૦ પરિપૂર્ણ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

आधे मोनसून के बाद एक करोड के खर्च से चुना खरीदा जाएगा

aapnugujarat

AMTS બસ સર્વિસ પર ૨૬.૧૧ અબજનું જંગી દેવું

aapnugujarat

ગુજરાતમાં ૧૮૪ સિંહોના મૃત્યુ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1