સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સરદાર ચોક પાસે આવેલ એન. માધવલાલ આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં પ્રકાશ હરગોવિંદભાઈ નાયક રહે ( મકતુપુર તા. ઊંઝા જી. મહેસાણા )ને તારીખ ૨૧/૦૧/૨૦૨૦ના રોજ બપોરના સમયે આંગડિયા પેઢીમાં કામકાજ પતાવી રોકડ રકમ ભરેલ બેગ લઈ ચાલતા જતા હતા તે સમયે સફેદ કલરની સ્વિફ્ટ જેવી કાર અજાણ્યા ઇસમો આવી અચાનક ચાકુ ના ઘા મારી પૈસા ભરેલી બેગ લૂંટવાની કોશિશ કરતા બેગ ખેંચમતાણી થતાં આજુબાજુના લોકો આવી જતા અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી ત્યાંથી નાસી છૂટયા હતાં. ફાયરિંગમાં બંદૂકની ગોળી વાગતા ભોગ બનનારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ