ઉદયપુરના સજ્જનગઢ જૂલૉજીકલ પાર્કમાં એક વાઘે વાઘણને મારી નાંખી. ૧૩ વર્ષની દામિનીને જ્યારથી પૂણેથી લાવામાં આવી હતી તે આકર્ષણનું કેન્દ્ર હતી. તો કુમાર નામના વાઘને તેના પછી કર્ણાટકથી લાવવામાં આવ્યો હતો અને બંનેને આજુબાજુના વાડમાં રાખ્યા હતા. કહેવાય છે કે દામિની કુમારના પ્રસ્તાવને માની રહી નહોતી આથી ગુસ્સામાં આવીને કુમારે તેને મારી નાંખી.
બંનેની વચ્ચે થયેલા સંઘર્ષનો સાક્ષી એક વિઝિટર બન્યો. એક્સપર્ટસનું કહેવું છે કે ભલે બંનેને અલગ વાડામાં રાખ્યા હોય પરંતુ એકબીજાને તેઓ જોઇ શકે છે, સૂંઘી શકે છે અને રિએકટ કરી શકે છે. એવામાં તેમની નિકટતા ઘાતક હોય છે. રિટાયર્ડ સીસીએફ રાહુલ ભટનાગરે કહ્યું કે વાઘ ખૂબ જ તાકાતવાર હોય છે અને જો માદા પોતાની સેક્સુઅલ સાઇકલમાં નથી તો તે થોડીક જ મિનિટમાં માદાને મારી શકે છે.
કહેવાય છે કે આ જ દામિનીની સાથે થયું. એવું પહેલી વખત બન્યું છે કે કોઇ પ્રાણીએ માદા પાર્ટનરને મારી નાંખી હોય. ભટનાગરનું કહેવું છે કે આ કેયરટેકરની બેદરકારી હોય કે બાઉન્ડ્રી માટે ઉપયોગ મટિરીયલની ખરાબ ક્વોલિટીના લીધે કુમાર દામિનીના વાડામાં દાખલ થઇ શકયો આ અંગે વિસ્તૃત તપાસ બાદ જ ખબર પડશે.