દિયોદરમાં આવેલ ઓગડ મહારાજના મંદિર ખાતે તારીખ ૧૮/૧૨/૧૯ના રોજ મથુરાથી આવેલ શાસ્ત્રી પવન મહારાજજી, મનસુખ મહારાજ,પવન મહારાજ, અરવિંદ મહારાજ દ્વારા દિયોદરમાં રામ ધુન બોલાવામાં આવી હતી. જોકે આ શાસ્ત્રીઓ ઉત્તરાયણ બાદ પોતાના વતન મથુરા પરત ફરશે ત્યાં સુધી દિયોદરમાં આવેલ વિવિધ સોસાયટીયોમાં રામ ધૂન બોલાવી રહ્યા છે. ‘‘ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો’’ જેવા પ્રભાતિયા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ