છોટાઉદેપુર જિલ્લાનાં પાવી જેતપુર તાલુકા નજીક સિહોદ ચોકડીથી વાંકી જવાના રસ્તા ઉપર સિથોલ ગામ પાસે રાહદારીઓનાં જીવનું જોખમ બનેલુ ગરનાળું જોવા મળી રહ્યું છે જેમાં માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે. ચોમાસાની સિઝનમાં ધોવાયેલા ગરનાળાની કામગીરી કરવા માટે માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે નિંદ્રાધીન હાલતમાં હોય તેમ આ કામગીરી અત્યાર સુધી કરવામાં આવી નથી ત્યારે આ ગરનાળા ઉપર હજાર લોકો અવાર નવાર પસાર થતા હોય છે તેમ છતાં પણ આ રાહદારીઓના જીવની કોઈ કદર ના હોય તેવી રીતે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે આ ગરનાળું બનાવવાનું કામ કરવામાં આવ્યું નથી. આ ગરનાળાની ઉપરનાંખેલા પથ્થરો અને ગરનાળાની અંદરના ભાગમાંથી નીકળી ગયેલા સળિયાથી રાત્રીનાં સમયે ગરનાળા ઉપરથી પસાર થતા રાહદારીનાં જીવનું જોખમ બની ઉભું હોય તેમ લાગી રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, છોટા ઉદેપુર)
આગળની પોસ્ટ