કાંકરેજ તાલુકાનાં વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ મંદિરમાં વિચરતી સમુદાયની બેઠક યોજાઇ હતી તેમાં મિત્તલબેન, નારણભાઇ હાજર રહ્યા હતાં. કાંકરેજ તાલુકાના વિચરતી વિમુક્ત જાતિનું મજબૂત સંગઠન બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આ સમજોમાંથી રાવળ, વણઝારા, કાંગસીયા દેવીપૂજક,ગોસ્વામી,બજાણીયા ફુલવાદી, પટણી સમાજમાંથી સમાજની સર્વ સંમિતિથીબે, બે સભ્યો લેવામાં આવ્યાં હતાં.
આ સભ્યોનો ચર્ચા વિમર્શ થયાં પછી આ સભ્યોએ કાંકરેજ તાલુકાના વિચરતી વિમુક્ત જાતિ સંગતના પ્રમુખ તરીકે રાવળ કનુભાઈ અને મંત્રી તરીકે કાંગસીયા ભગાભાઇની નિમણુંક કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)