Aapnu Gujarat
ગુજરાત

રાટીલા ગામમાં ડુક્કરનો આતંક : એક વ્યક્તિનું મોત

દિયોદર તાલુકાના અનેક ગામડામાં ડુક્કરના ત્રાસના કારણે ગામમાં ભયનો માહોલ છે ત્યારે ગત રવિવારના સાંજે દિયોદરના રાટીલા ગામે ડુક્કરે પાંચ વ્યક્તિ ઉપર હુમલો કરતા એક વ્યકતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડુક્કરને ઠાર મારવામાં આવ્યો છે.
દિયોદર તાલુકાના રાટીલા ગામે રવિવાર સાંજના સુમારે ખેતરમાં રહેલ ખેતી કામ કરી રહેલ દંપતિ ઉપર એકાએક હુમલો કર્યો હતો જેમાં પત્નીને બચાવવા જતા ડુક્કરે પતિ ઉપર હુમલો કરતા ઈજા ગ્રસ્ત ભરત ગણેશભાઈ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં હડકવા થયેલ ડુક્કરે અન્ય ત્રણ વ્યક્તિ ઉપર પણ હુમલો કર્યો હતો જેમને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ડુક્કરના હુમલાથી મૃત્યુ પામેલ યુવાનને પીએમ અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જે અંગે દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરની બદલી

editor

अहमदाबाद में तीन दिन में ४४ करोड़ के कार्यों का भूमिपूजन

aapnugujarat

ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1