બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો .થોડા સમય પહેલા વરસાદનું આગમન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગત સોમવારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ગુજરાત કિસાન એકતા સમિતિ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી આવ્યું હતું.
૧૧ નવેમ્બરે દિયોદર તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ રમેશજી સોલંકી, બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી અભેસિંહ ચૌહાણ તેમજ દિયોદર તાલુકાના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં ખેડૂતોની અનેક માંગણીને લઈ દિયોદર મામલતદાર પી. એસ. પંચાલ ને આવેદનપત્ર સોંપ્યું હતું જેમાં ખેડૂતોની માંગણી એવી છે કે ચાલુ વર્ષ વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવતા ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે તો સરકાર દ્વારા યોગ્ય ધોરણે પામાં થયેલ નુકસાન અંગે વળતર આપે તેવી માંગ કરતું આવદેનપત્ર સોંપવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ