Aapnu Gujarat
ગુજરાત

ધનકવાડા ગામમાં ભાજપ સંગઠનની બેઠક મળી

દિયોદર તાલુકાના સંગઠનની નિમણૂક કરવામાં આવી છે. ગતરોજ દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની હાજરીમાં દિયોદર તાલુકા ભાજપની સંગઠન બેઠક મળી હતી જેમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે વનરાજસિંહ બળવંતસિંહ વાઘેલા તેમજ મહામંત્રી તરીકે નવીન ત્રિવેદી , જગદીશ ચૌધરીની નિમણૂંક કરવામાં આવી હતી. વનરાજસિંહ વાઘેલા તેમજ મહામંત્રીઓને ભાજપના કાર્યકરોએ ફૂલહાર પહેરાવી આવકાર્ય હતા. નવા નિમણૂક થયેલ ભાજપ પ્રમુખે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ બેઠકમાં દિયોદર પૂર્વ પ્રમુખ પરાગ જોશી, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખ પટેલ, ભરત જોશી (સુરાણા), નાગજીભાઈ દેસાઈ, ભરત જોશી (દેલવાડા), પ્રદીપ શાહ, ભીખીબેન વોરા સહિત ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

કોવિડ વિજય રથ દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા અભિયાનની શરૂઆત

editor

लवमैरेज के बाद प्रेमीयुगल हाईकोर्ट की शरण में पहुंचा

aapnugujarat

ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1