બનાસકાંઠ જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં નેકારીયા ગામમાં શ્રી જોગમાયાના મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમંત્રિતો મહેમાનો પધાર્યા હતાં. પધારેલા સંતો – મહંતો તેમજ ભક્ત મંડળોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતીનો ૨૧ હજાર ચઢાવો બોલી ગામની કુવાશીયે આરતી ઉતારી હતી. નેકારીયા યુવક મંડળના સભ્યો, ગામનાં સરપંચ અમરતજી વેરશીજી ઠાકોર, વાધાજી ઠાકોર વિગેરે તીર્થ ડીજે સાઉન્ડ નેકારીયા, તેમજ સમસ્ત ગામ લોકો સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. માતાજીને થાળ ધરાવી સૌ ભક્તોએ પ્રસાદી લીધી હતી.
(તસવીર/ અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા