Aapnu Gujarat
ગુજરાત

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા છેલ્લા કેટલાક સમયથી કાર્ય કરી રહી છે. આજરોજ ભારત વિકાસ પરિષદ શાખા રાષ્ટ્રીય સ્તરે આજે ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે દિયોદરમાં રેસ્ટ હાઉસ પાસે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા પ્રક્ષાલન વિધિ કરવામાં આવી તેમજ ફૂલ માળા અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ શાહ, મંત્રી દિપેશ સેવક, મહેશ ગજ્જર, કિશોર પરમાર ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તરના કારોબારી સભ્ય ભરત અખાણી, રમેશ ઠાકોર, શીતલ ત્રિવેદી, રસિક ત્રિવેદી, કેતન શાહ, અમરત ભાટી, અંબારામભાઈ જોશી સહિતનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.દિયોદર ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ જામાભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૯૬૨માં શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થાને આજે ૫૮ વર્ષ પૂર્ણ થઇ ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે કોરોનાની મહામારી છે ત્યારે અન્ય કોઈ કાર્યક્રમ કરી શકે તેમ ન હતા ત્યારે વિચાર આવ્યો કે આજે મેં યુવાનોને પ્રેરણા આપનાર સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જળ અભિષેક કરી અમે ૫૯ માં વર્ષમાં પ્રવેશ કરી આનંદની લાગણી અનુભવી હતી.

(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પંચમહાલના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદ ગ્રહણ કર્યું

editor

પ્રજાસત્તાક પરેડ : ઐતિહાસિક દાંડીયાત્રા વિષયક ટેબ્લો રહેશે

aapnugujarat

અમદાવાદમાં ગરમી વધતાં યલો એલર્ટ જાહેર કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1