Aapnu Gujarat
રાષ્ટ્રીય

શું ફરી બદલાઈ જશે આપણા પીએમ મોદીના નિવાસ્થાન નું સરનામું? આર્કિટેકટે કરી ભલામણ

દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનનું સરનામું ફરીથી એકવાર બદલાઈ શકે તેવી શક્યતાઓ છે. મૂળે, એક આર્કિટેક્ટ ફર્મે વડાપ્રધાનનું નિવાસસ્થાનને બદલવાની ભલામણ કરી છે. આ કંપનીની સેન્ટ્રલ દિલ્હીને ડિઝાઇન કરવા માટે પસંદગી પણ કરવામાં આવી છે.

અંગ્રેજી ન્યૂઝ ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ના કહ્યા મુજબ, આર્કિટેક્ટ ફર્મે વડાપ્રધાનના નિવાસ્થાનને 7 લોક કલ્યાણ માર્ગથી રાયસીના હિલ્સ એટલે કે રાષ્ટ્રપતિ ભવનના દક્ષિણમાં ડેલહાઉસી રોડ હટમેંટ્સ પર શિફ્ટ કરવાની એક ભલામણ કરી છે. આ સિવાય ફર્મે વડાપ્રધાનની ઑફિસને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરવાની ભલામણ કરી છે. જોકે, તેના વિશે છેલ્લો નિર્ણય બીજા વિવિધ પક્ષો સાથે વાતચીત બાદ લેવામાં આવશે. જાણવા મળ્યુ છે કે, પહેલા લોક કલ્યાણ માર્ગનું નામ રેસ કોર્સ રોડ હતું.

આ આર્કિટેક્ટ ફર્મ અમદાવાદની વાતની છે. આર્કિટેક્ચર એન્ડ અર્બન ડિઝાઇનની આ કંપનીએ સેન્ટ્રલ દિલ્હીમાં થોડોક ચેન્જ કરવાની વિવિધ ભલામણો કરી છે. કંપની તરફથી સંસદ ભવન અને કેન્દ્રીય સચિવાલયને પણ બદલવાની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના અઢી કિલોમીટર લાંબા રાજપથને પણ નવેસરથી તૈયાર કરવાનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારી કહ્યા મુજબ ડિઝાઇન, આર્કિટેક્ચરથી સંકળાયેલા પ્રસ્તાવો, ખાસ કરીને સંસદ ભવનનું નવું બિલ્ડિંગ અને ઑફિસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અંતિમ નિર્ણય પહેલા સરકાર, લોકસભા અધ્યક્ષ અને બીજા મોટા પદાધિકારીઓ સાથે મંત્રણા-સૂચન લીધા બાદ પગલાં લેવાામાં આવશે.

સરકારે આ બધાજ નિર્ણય પર અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચનો કરવાનો નક્કી કર્યો છે. તેને પૂરું કરવા માટે માર્ચ 2024ની ડેડલાઇન રાખવામાં આવી છે. એટલે કે આવનાર લોકસભા ચૂંટણીથી માત્ર બે મહિના પહેલા પૂરું કરવાનું એક લક્ષ્ય છે.

Related posts

ધોરણ ૧૦ પાસ કરનારી દરેક યુવતીને રોકડ ઇનામની જાહેરાત કરતી યુપી સરકાર

aapnugujarat

કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યા

aapnugujarat

राज्यसभा में गूंजा गुजरात में विधायकों के इस्तीफे का मुद्दा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1