Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યા

દક્ષિણ કાશ્મીરમાં ગઈરાત્રે પુલવામા જિલ્લાના નાઈરા વિસ્તારમાં અજાણ્યા બંદુકધારીઓએ સીઆરપીએફના જવાનની તેના ઘરમાં ઘુસીને હત્યા કરી નાખી હતી. જવાન નસીર એહમદ રજા પર હતો ત્યારે ઉગ્રવાદીઓ બંદુકો લઈને તેના ઘરમાં ઘુસી ગયા હતા અને આડેધડ ગોળીબાર કરીને તેને ત્યાં જ ઠાર કરી દીધો હતો. આ સમગ્ર વિસ્તારને જવાનોએ કોર્ડન કરી લીધો છે અને જંગલ વિસ્તારમાં આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. આ પહેલાં આ ૨૧મી જુલાઈએ કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યા કરવામાં આવી હતી. સીઆરપીએફ અને પોલીસ ફોર્સમાં રહેલા મુસ્લિમ યુવકોને ખાસ ટારગેટ બનાવીને આતંકીઓ ખોફ ફેલાવવા માગે છે.આ પહેલા આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરીને તેમને શહીદ કરી દેવાયા હતા. પોલીસમેન જાવેદ ડારને અપહરણ કરીને આતંકીઓ લઈ ગયા હતા અને પછી શહીદ કરી દીધા હતા.આમ મુસ્લિમ યુવકો આર્મી કે પોલીસ ખાતામાં જોડાય નહી તેવા મલીન હેતુથી એમની હત્યાનો સીલસીલો શરૂ કરવામાં આવ્યો છે.

Related posts

चंद्रयान-2 के आर्बिटर से अलग हुआ लैंडर विक्रम, 7 तारीख को लैंडिंग

aapnugujarat

Submit detailed analytical report about factors responsible for deaths due to Covid-19 : CM Kejriwal to health dept

editor

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

editor

Leave a Comment

UA-96247877-1