Aapnu Gujarat
ગુજરાત

કડી લુહારકુઇ ચોકમાં બહુચર માતાજીની માંડવીના વળામણાં

કડીમાં આવેલ લુહારકુઇ ચોકમાં નવરાત્રીના પાવન મહોત્સવમાં વર્ષોથી ચાલતી પરંપરાગત મા બહુચર માતાજીની માંડવીની સ્થાપના કરાઈ હતી અને નવ દિવસ વિધી વિધાન પ્રમાણે આરતી-પુજા કરવામાં આવતી હતી. નવ દિવસ ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ જમાવતા હતાં. દશેરાએ માતાજીના વળામણાં કરાયા હતાં જેમાં ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. માતાજીની માંડવી લુહારકુઇ ચોકમાંથી નીકળી વિશ્વ હિંદુ પરિષદ – તીનબતી – અંબાજી માતાનું મંદિર- શિપાળ-પાડાપોળ-તબોળીવાસ – રમતી ચોક – નવાપુરા વગેરે જગ્યાએથી નીકળી હતી. સાથે સાથે માતાજીને વાજતે ગાજતે બેન્ડ બાઝા સાથે છેલ્લે બ્રાહમણની વાડી માંતાજીની માંડવીની વિદાય કરવામાં આવી હતી. જય અંબે જય અંબેના જયકારા લગાવવામાં આવ્યાં હતાં. લુહારકુઇ નવરાત્રી મંડળના આયોજક મિત્રો દ્વારા તમામ ભકતોનો નવ દિવસ સહકાર આપવા માટે તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

वघई में १३ इंच बारिश

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વિધેયક મુદ્દે પી.ડી. વસાવાની પ્રતિક્રિયા

aapnugujarat

સુરતમાં પતિએ પત્નીની ગળુ કાપી ક્રુર હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1