Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓ માટે ૬ ઓક્ટોબરનાં રોજ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી ડૉ. ડી.ડી.કાપડિયા, અમદાવાદના ઈન્કમટેક્સ કમિશનર શ્રી રાજકુમાર મકવાણા, સમાજદીપ સામાયિકના પ્રકાશક શ્રી દિનેશભાઈ પરમાર, ગુજરાત સરકાર પાણી પુરવઠા વિભાગના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર શ્રી કૌશિકભાઈ વાઘેલા, સતિષ સર કેળવણી ધામ અમદાવાદના શ્રી સતિષભાી શાહ, ‘આપણું ગુજરાત‘ દૈનિકનાં તંત્રી શ્રી દેવેન આર. વર્મા સહિત સમાજનાં અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લગ્નોત્સુક વણકર યુવક – યુવતીઓએ ભાગ લીધો હતો. આ જીવનસાથી પસંદગી મેળામાં કુલ ૨૭૨ જેટલા ડૉક્ટર, એન્જિનિયર સહિતના યુવાનોએ નોંધણી કરાવી હતી.

Related posts

દેશની જિલ્લા કોર્ટોને નિર્ણય આપતા લાગી જશે ૩૨૪ વર્ષ…!!

aapnugujarat

સાબરકાંઠા : પોશીના તાલુકા ની દેલવાડા (છો ) ક્લસ્ટર કક્ષા ની મુખવાંચન અને વાંચન સ્પર્ધા યોજવામાં આવી….

aapnugujarat

વડાલી માર્કેટયાર્ડમાં ૮૧ લાખ કિલો કપાસની આવક

editor

Leave a Comment

UA-96247877-1