ગત શનિવારના રોજ માર્કેટયાર્ડ ખાતે ચેરમેન જયંતીલાલ બી. દોશીના અઘ્યક્ષ સ્થાને ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં જેમાં શાંતિલાલ ત્રિવેદી દ્વારા એજેન્ડા મુજબ કામગીરી કરવામાં આવી હતી. જોકે મંડળીના વાર્ષિક હિસાબો, નફા નુકસાન અને સરવૈયુ વગેરે વિગતવાર વંચાણે લેવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં મુક્તિલાલ શાહ, કિર્તીલાલ દોશી, મોતીલાલ સુથાર, પ્રકાશભાઈ ફોફાણી, રસિકલાલ દોશી, બાબુલાલ સુથાર, છોટુભાઈ મકવાણા, અનુપજી ઠાકોર સહિત સભાસદો હાજર રહ્યા હતા. આ સાધારણ સભાની આભારવિધિ મેનેજર હરેશભાઈ ભાટીયાએ કરી હતી.
તસ્વીર /અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા