કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫છ કેન્દ્ર સરકાર દ્વારા કલમ નાબુદ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો અને સમગ્ર દેશના લોકોએ આ નિર્ણયને ખુશી મનાવી વધાવી લીધો હતો. આ નિર્ણયની ખુશીમાં બનાસકાંઠા ભાજપ યુવા મોરચા દ્વારા ૩૭૦ બોટલનાં લક્ષ્યાંક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. રક્ત બોટલની સંખ્યા ૪૦૦ની પાર પહોંચી હતી.
ભાજપ યુવા મોરચા તરફથી રક્તદાતાઓને પાણીની બોટલ તેમજ બેગ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ ચૌધરી, જિલ્લા સદસ્ય રમેશભાઈ ચૌધરી સહિત ભારતીય જનતા યુવા મોરચાની ટીમ તથા હોદ્દેદારો વડીલો યુવાનો ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
તસ્વીર/અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા