શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે મહાપુજા કરવામાં આવી હતી તેમજ દીર્ધ આયુષ્ય માટે મંત્રજાપ વિગેરે કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, તીર્થપુરોહિત પણ આ પુજામાં જોડાયા હતાં. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, ટ્રસ્ટી સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી મોદીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રાજ્યસભા સાંસદ ચુનીભાઇ ગોહેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે સવાલક્ષ મહામ્રુત્યુંજય જાપ પણ કરવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)