સોમનાથ માં આવેલ સોમનાથ શોપિંગ સેન્ટરમાં જ્યાં ગણપતિ દાદાનુ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ ઉમેદસિંહ જાડેજા જાડેજા તથા સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું ચાવડા સાહેબ શોપિંગમાં તેઓનું સન્માન અને આરતીનો પણ લાભ લીધેલો હતોસોમનાથમાં શોપિંગ સેન્ટરના ગણપતિ બાપાને બે વર્ષ પૂર્ણ થયા અને ત્રીજા વર્ષ પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ગણપતિ બાપાનુ અગિયાર દિવસ બાદ ધામધૂમથી ગણપતિ દાદાની વિદાય કરવામાં આવે છે અને દિવસ દરમિયાન રાત્રિના સમયે ભજન-કીર્તન અને ધૂન તથા અલગ અલગ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં પણ આવે છે આ ગણપતિ મહોત્સવ સોમનાથ ના નાના-નાના વ્યાપારીઓ દ્વારા ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવે છે અને વિશેષમાં જે લોકો સોમનાથ દર્શને આવે છે અને શોપિંગ સેન્ટર માં ખરીદી કરવા આવતા હોય ત્યારે આ ગણપતિ દાદાના દર્શન અને આરતી નો પણ લાભ લે છે
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ