Aapnu Gujarat
બ્લોગ

વિરમગામના પુંજાભાઈ મારવાડી રામદેવપીરના નોરતામાં ખાય છે લીલા મરચાની ફરાળ

કોઇ પણ વાર-તહેવારમાં કે ઉપવાસની વાત આવે એટલે લોકો અલગ-અલગ ફરાળ આરોગતા હોય છે. તમે કોઇ વ્યક્તિએ ઉપવાસ દરમ્યાન માત્ર ફરાળમાં તીખા લીલા મરચાં ખાતા નહીં જોયા હોય. પરંતુ અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં રામદેલપીરના એક એવા પરમ ભક્ત છે જે ભાદરવા મહિનામાં આવતા રામદેવપીરના નોરતા દરમિયાન ફરાળમાંમાત્ર લીલા તીખાં મરચા જ ખાય છે અને નવ દિવસ મરચા સિવાયનો કોઇ ખોરાક ગ્રહણ કરતા નથી. વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં રહેતા બાર બીજના ધણી રામદેવપીરના પરમ ભક્ત પુંજાભાઈ મારવાડી પોતાના ઘરે બનાવેલ રામદેવપીરના મંદિરમાં છેલ્લાં ૨૪ વર્ષથી બારબીજના ધણી નકળંગ નેજા ધારી રામદેવપીરની સેવા પુજા-અર્ચના કરે છે. રામદેવપીરના મંદિરે સવાર સાંજ થતી આરતીમાં અનેક ભક્તો ઉપસ્થિત રહે છે અને રામદેવ પીરનો પ્રસાદ ગ્રહણ કરે છે.
વિરમગામના રામદેવ પીરના ભક્ત પુંજાભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હું છેલ્લાં ૨૪ વર્ષથી રામદેવપીરની નવરાત્રિ દરમિયાન નવ દિવસ કોઇપણ અનાજ કે કોઇ ફરાળ નહીં લઇને માત્ર ને માત્ર રોજના ૫૦૦ ગ્રામ તીખા લીલા મરચા ફરાળ તરીકે ખાવ છું. ક્યારેક કોઇ ભક્ત વધુ મરચા લઇને આવે તો પણ આરોગુ છું. આ તીખા મરચા ખાવાથી મને કોઇ તકલીફ પડતી નથી. હું શેઠ એમ.જે. સ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરૂં છું. હું નવરાત્રી દરમિયાન ઘરની બાજુમાં બનાવવામાં આવેલ રામદેવપીરના મંદિરે અખંડ જ્યોતની સામે બેસીને ભક્તી કરું છું. માત્ર લીલા તીખાં મરચા ખાવા છતાં આજસુધી મને કોઇ તકલીફ પડેલ નથી. રામદેવપીરની ભક્તિ એ જ મારી શક્તિ છે. રામદેવપીરના આશીર્વાદના કારણે જ હું પ્રસાદ તરીકે મરચા ખાઇ શકુ છું.

(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

કર્ણાટક ચૂંટણી પછીની પેટાચૂંટણીઃ ગણતરી ચાલુ જ છે

aapnugujarat

સંસદમાં બેમાંથી બહુમતિ સુધીની ભાજપની વિશિષ્ટ સફર

aapnugujarat

મોદીની બુલેટ ટ્રેન પર બ્રેક લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1