જાંજગીર ચાંપા જિલ્લામાં એક વ્યક્તિ ૫ ખોથળામાં ૩૩ હજારથી વધારે સિક્કા લઈ પહોંચ્યો. આ સિક્કાનું વજન લગભગ ૧ ક્વિંટલ હતુ અને આ રકમ તે વ્યક્તિ તેની પત્નીને ભરણપોષણ તરીકે આપવા આવ્યો હતો. આ ઘટના જોઈ જજએ પણ કહ્યું કે આ રીત પત્નીને હેરાન કરવાની છે તેથી તે પોતે આ સિક્કા ગણશે અને તેની પત્નીને આપશે. જજએ એવો પણ આદેશ કર્યો કે રૂપિયા મળ્યાની પહોંચ પણ તેણે કોર્ટમાં જમા કરવી પડશે.
આ કેસ પતિએ પત્નીને ભરણપોષણ માટે રૂપિયા આપવાના હતા અને તે સમયે પતિ કોર્ટમાં સિક્કા લઈને પહોંચી ગયો. પામગઢ વિસ્તારના યશોધરા સાહૂના લગ્ન પૂની રામ સાહૂ સાથે થયા હતા. તેમને સંતાનમાં ૪ દીકરીઓ છે જેમાંથી ત્રણના લગ્ન પણ થઈ ચુક્યા છે. પરંતુ પતિ પત્ની વચ્ચે વિવાદ થતા તે ૨૦ વર્ષ પહેલા અલગ થઈ ચુક્યા છે. આ સમય દરમિયાન કેસ પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચ્યો. આ કેસમાં રામ સાહૂને જજએ ભરણપોષણના દર મહિને ૩૭૦૦ આપવાનો આદેશ કર્યો હતો. જો કે તે ૮ મહિનાથી આ રકમ ન આપી શક્યો હોવાથી અંતે તે કોર્ટમાં ૩૩ હજારના સિક્કા સાથે પહોંચ્યો. જ્યારે જજએ તેને પત્નીના ઘર સુધી પહોંચાડવાનો આદેશ પણ કર્યો.
પાછલી પોસ્ટ